ફેફસાને મજબુત કરવા માટે આવી ગઈ DRDOની નવી એન્ટી કોવિડ દવા, જાણો કોરોના દર્દી માટે કેટલી લાભદાયક..


દેશમાં કોરોનાની બીજી લહેર સામે આવી છે. આ લહેરમાં પુખ્તવય થી લઈને વૃદ્ધ વર્ગના લોકો પણ સંપડાયા છે. જો કે ભારત સરકારે લોકોને રસીકરણ માટે જાગૃત કર્યા છે અને કોરોના વધુ ના ફેલાય તે માટેની તકેદારી રાખવાની પણ સલાહ આપી છે. આ કપરા કાળમાં હાલમાં આપણે દર બીજા દિવસે કોઈના દૂખી સમાચાર પર આપણે શોક જતાવીએ છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે સરકાર તરફથી આપણે નવી દવા અને રસી એ આપણા જીવમાં જીવ લાવે છે.

તેથી જ કોરોના સંકટ વચ્ચે DRDOએ દેશમાં એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. DCGI (ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા) એ ડીઆરડીઓની એન્ટી કોવિડ દવા ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ (2-DG)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. DRDOએ આ દવાને ડૉ રેડ્ડીઝ લેબોરેટરીના મદદ અને સહભાગી થી મળીને તૈયાર કરવામાં આવેલ છે. લાભદાયક વાત એ છે કે, આ એન્ટી કોવિડ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે સહાયક પદ્ધતિ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

DRDO ના જણાવ્યા મુજબ, આ ગ્લુકોઝ આધારિત દવાથી કોરોનગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધુ પડતું નિર્ભર રહેવું પડશે નહિ. આ દવાના ચયનથી તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. ક્લિનિકલ ટ્રાયલ બાદ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલે આ દવાને ઈમરજન્સી ઉપયોગ લેવા માટેની મંજૂરી પણ આપી દીધી છે.



2-DG-Medicine શું છે?

ઉપરોક્ત જણાવ્યા મુજબ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ દેશમાં ઉત્પાદિત એન્ટી કોવિડ દવાનાં ઉપયોગને મંજૂરી આપી છે. આ એન્ટી કોવિડ દવાને કોરોના વાયરસના મધ્યમથી ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે સહાયક પદ્ધતિ તરીકે ઉપયોગ થઇ શકશે.

આ એન્ટી કોવિડ દવાને એવા સમયે દેશમાં મંજૂરી આપવામાં આવી છે જ્યારે દેશ સતત કોરોના સામે જજુમી રહ્યો છે અને તેની બીજી લહેર વચ્ચે દેશની પ્રજા ઘેરાયેલી છે. અત્યારના સમયમાં આ દવા કેવી રીતે ફાયદાકારક નીવડશે ચાલો જોઈએ.

આ આર્ટિકલમાં આપણે જાણીએ કે આ દવા કોરોનાગ્રસ્ત દર્દીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કેટલી મદદ કરે છે. શું હશે દવાની કિંમત અને આવા જ બધા અંત્યંત મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબો.



કોને બનાવી છે આ એન્ટી કોવિડ દવા?

હૈદરાબાદની ડો.રેડ્ડી લેબોરેટરીના સહયોગથી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સિસ (INMAS)ની પ્રતિષ્ઠિત પ્રયોગશાળા દ્વારા આ એન્ટી કોવિડ ડ્રગ બનાવવામાં આવી છે. આ દવાનું નામ 2-ડીજી છે. તેનું પૂરું નામ 2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ છે. સામાન્ય અણુઓ અને ગ્લુકોઝના મિશ્રણથી દેશમાં મોટા પ્રમાણમાં તેને તૈયાર અને ઉપલબ્ધ કરી શકાય છે.

2-DG-Medicine: ઇન્જેક્શન કે ટેબલેટ?

2-ડીજી દવા પાવડર સ્વરૂપમાં પેકેટમાં આવે છે. તેને પાણીમાં ઓગાળીને દર્દી સહેલાઈથી પી શકે છે. જેમ આપણે બીજા અનેક પાવડરને પાણીમાં ઓગાળીને પી જઈએ છીએ એવી જ રીતે, 2-ડીજીને પણ આ જ રીતે પાણીમાં ભેળવીને લઈ શકાશે.

શું હશે 2-ડીજી પાવડરની કિંમત ?

સામાન્ય રીતે અત્યારના સમયમાં દવા કે રસી એકવાર બહાર માર્કેટમાં આવે પછી જ એના ભાવ વિશે જાણ થાય છે. તેથી હાલમાં 2-ડીજી પાવડરની સત્તાવાર કિમંત બહાર આવી નથી. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ દવાના પેકેટની કિંમત આશરે 500 લઈને થી 600 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. ફાર્માસ્યુટિકલ કંપની જે તેનું નિર્માણ કરે છે તે તેના યોગ્ય ભાવને જાહેર કરશે.


આ દવા દર્દી માટે કેવી રીતે લાભદાયક બનશે?

જે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ હોય એવા દર્દી માટે આ દવા ફાયદાકારક છે. ક્લિનિકલ ટ્રાયલ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, 2-ડીજી દવાખાનાઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપીથી સ્વસ્થ કરી શકાય છે. આ ઉપરાંત વધારે ઓક્સિજનની જરૂરિયાતને પણ ઘટાડે છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું, “કોવિડ -19 ની બીજી તરંગ ઓક્સિજન અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મોટી સંખ્યાની આવશ્યકતા છે. આ દવા દર્દીને જીવ બચાવવાની તાકાત રાખે છે .કારણ કે આ દવા ચેપગ્રસ્ત કોષો પર કામ કરે છે અને કોવિડ -19નાં દર્દીઓ માટે પણ તે કામની બની રહેશે."

આ દવા કોરોના સામે કેવી રીતે કામ કરે છે?

આ દવા કોવિડ -19 દર્દી માટે લાભકારક નીવડશે. ડીસીજીઆઈએ કોવિડ-19ના મધ્યમ અને ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે આ દવાના કટોકટીના ઉપયોગને સહાયક પદ્ધતિ તરીકે મંજૂરી આપી છે. આવી પદ્ધતિ ના લીધે દર્દીઓ પ્રાથમિક સારવાર લઇ શકે છે.

2-ડીજી ડ્રગ વાયરસથી સંક્રમિત કોષમાં ભેગા થાય છે અને વાયરસના વિકાસ અને તેની વૃદ્ધિને અટકાવે છે. વાયરસથી સંક્રમિત કોષ પર પોતાની પસંદગીથી કામ કરવું તે આ દવાને વિશેષ બનાવે છે. આ ઉપરાંત 2 ડીજી સાથે સારવાર લેતા દર્દીઓ ધોરણસરની સારવાર પ્રક્રિયા (SOC) પહેલા સ્વસ્થ અને તંદુરસ્ત પણ થઈ ગયા છે. એવું પણ જાણવા માંડ્યું છે કે, મોટાભાગના દર્દીઓ કે આની સારવાર લઈ રહ્યા હતા તેમનો RTPCR ટેસ્ટ નેગેટિવ પણ આવ્યો હતો.



કેવું રહ્યું ક્લિનિકલ ટ્રાયલનું પરિણામ?

આ પરિણામો પછી, મે 2020 માં ડીસીજીઆઈની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ 2-ડીજી કોરોના ગ્રસ્ત દર્દીઓ પર બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી હતી. તેમાં અસરકારક અને સલામતી સાબિત થયા બાદ મેં થી ઓક્ટોબર 2020 દરમિયાન બીજા તબક્કાની સુનાવણી કરવામાં આવી હતી. તેમાં એવું જાણવા મળ્યું છે કે કોરોના ગ્રસ્ત દર્દીઓને સાજા થવા તેમજ સ્વસ્થ કરવા માટે મદદ કરે છે.

બીજા તબક્કાના પહેલા ભાગની છ હોસ્પિટલોમાં આશરે 110 દર્દીઓ અને બીજા તબક્કાના બીજા ભાગમાં દેશના બીજા ભાગમાં 110 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જાણવાની વાત એ છે, ડીસીજીઆઈએ સફળ પરિણામો આવ્યા બાદ નવેમ્બર 2020 માં તબક્કા III ના ટ્રાયલ માટેની મંજૂરી આપી હતી. દેશભરની 27 હોસ્પિટલોના 220 દર્દીઓ ટ્રાયલ III ની ક્લિનિકલ ટ્રાયલ ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન લેવામાં આવ્યો હતો.

અંતમાં આપણે એટલું તરણ કાઢી શકીએ કે, 2-ડીજી દવાઓમાં રોગનિવારક દર્દીઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. એસઓસીની તુલનામાં ત્રીજા દિવસથી ઓક્સિજન પર નિર્ભર રહેવાની જરૂર પડી નથી. 31 ટકાની તુલનામાં 42 ટકા નાબૂદ થઈ ગઈ છે. જોકે હાલમાં  65 વર્ષથી વધુ ઉંમરના કોરોના ગ્રસ્ત દર્દીઓમાં સામાન્ય સુધારણા જોવા મળી હતી. જે અંત્યંત ખુશીની વાત છે.


Comments

Post a Comment

Popular posts from this blog

Everything you need to know about AntiCovid 2DG drug..

Digital Marketing: How does it help small businesses?